બારડોલીમાં આપના કાર્યકરોએ માેંઘવારી મામલે આવેદનપત્ર આપ્યુ

41

બારડોલી : બારડોલીમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં લઇને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવ્યા હતા.મંગળવારના રોજ મોંઘવારી સામે પગલાં ભરવાની માગ સાથે બારડોલી એસ઼઼ડીએમને આવેદનપત્ર આપ્યું હતું

આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે બારડોલી તાલુકા અને નગરમાં લોકો પરેશાન છે.વેપાર ધંધા પણ બંધ હોવાથી સામાન્ય લોકો બેરોજગાર છે.આવા વિકટ સમય અને સંજોગો વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા છે.શાકભાજી અને ફળોના ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે.ખેડૂતોને તેના ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને વચેટિયાઓ તેમજ રિટેલરો વધુ ભાવ ચઢાવી ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.અંતે સામાન્ય જનતાએ જ બધુ સહન કરવાનું આવે છે.જેને કારણે આત્મહત્યા સુધીના બનાવો બની રહી છે.કોરોનામાં ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મોત થયું હોય તો તેવો પરિવાર એકદમ લાચાર બની જાય છે ત્યારે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ તેમજ મોંઘવારી પર કાબૂ મેળવવાની માગ સાથે બારડોલી એસડીએમને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Share Now