ઈ-કોમર્સ કંપનીઓ અને નાના વેપારીઓ વચ્ચે જંગ છેડાયો

45

નવી દિલ્હી તા.17 : દેશમાં છૂટક વેપાર પર કબજો જમાવવાને લઈને ઈ-કોમર્સ કંપનીઓ અને નાના વેપારીઓ વચ્ચે જંગ છેડાઈ ગયો છે. ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા ‘સંભવ સંમેલન’ કર્યા બાદ દેશભરનાં નાના વેપારીઓ અને વિક્રેતાઓ ‘અસંભવ સંમેલન’ થી વિરોધ કરી રહ્યા છે.વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની ભેદભાવભરી નીતિઓના વિરોધમાં આ સંમેલન કરવામાં આવી રહ્યુ છે.

બજારમાં ભાગીદારી વધારવાની તૈયારીમાં એમેઝોન : એમેઝોન ભારતના લઘુ તેમજ મધ્યમ ઉપક્રમોને ડીઝીટલ બનાવવામાં મદદ કરવા માટે રૂા.1,873 કરોડ રૂપિયાનાં ભંડોળનું એલાન કર્યુ છે.આ ભંડોળની જાહેરાત પોતાના વર્ચ્યુઅલ સંમેલન સંભવમાં કરી છે.જાણકારો કહે છે કે આ બજાર ભાગીદારી વધારવાની રણનીતી જ રહી છે.

ભેદભાવભર્યા વ્યવહારો સામે વિરોધ : 6 લાખથી વધુ નાના ભારતીય વેપારીઓ, વિતરકો અને વિક્રેતાઓના પ્રતિનિધિઓ અસંભવ સંમેલનની વિદેશી ઈ-કોમર્સના ભેદભાવભર્યા વ્યવહારોની સામે વિરોધ કરી રહયા છે.ઓલ ઈન્ડીયા ઓન લાઈન વેન્ડર્સ એસો.ઓલ ઈન્ડીયા મોબાઈલ રીટલર્સ એસો.અને પ્રહાર મળીને આ સંમેલનનું આયોજન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલ સુધી ચાર દિવસ એમેઝોનનો સંભવ કાર્યક્રમ ભારતમાં ચાલશે. જેમાં 70 વકતા સંભવ સંમેલનથી પોતાના વિચારો નાના વિક્રેતાઓના બારામાં રજુ કરશે.

Share Now