દશેરા પર કરો આ સરળ ઉપાય, આખું વર્ષ બની રહેશે સુખ-શાંતિ, વરસશે માં લક્ષ્‍‍મીની કૃપા

89

આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.હિન્દુ ધર્મમાં વિજયાદશમીનું વિશેષ મહત્વ છે.હિન્દુ પંચાંગ મુજબ,દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે દશમીના દિવસે જ માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

શાસ્ત્રોમાં વિજયાદશમીને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવી છે.એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે વિજય મુહૂર્તમાં શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે.આવી સ્થિતિમાં અમે તમને કેટલાક નાના અને ખૂબ જ સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે.આ સાથે માતા લક્ષ્‍મીના આશીર્વાદ સમગ્ર વર્ષ દરમિયાન બન્યા રહેશે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે

વિજયાદશમીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન કોણમાં રોલી,કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલની આકૃતિ બનાવવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

બરકત માટે

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના પાંદડા ચડાવવાથી આર્થિક લાભ મળે છે.એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિઓની અસર સમાપ્ત થાય છે.

નોકરીમાં પ્રગતિ માટે

દશેરાના દિવસે માં દુર્ગાની પૂજા કરતી વખતે ઓમ વિજયાય નમ: મંત્રનો જાપ કરો.આ સાથે માતાને 10 ફળ અર્પણ કરો.પછી આ ફળોને પ્રસાદમાં વહેંચો.આ પૂજા બપોરે કરો.આ પછી સાવરણી ખરીદો અને તેને મંદિરમાં દાન કરો.આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

વ્યવસાયમાં પ્રગતિ માટે

વ્યવસાયમાં પ્રગતિ માટે દશેરાના દિવસે નારિયેળને પીળા કપડામાં લપેટો. આ નાળિયેર સાથે જનોઇની એક જોડી, પાન અને મીઠાઈઓ રામ મંદિરમાં અર્પણ કરો.આ તમને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

સુખી અને સમૃદ્ધ જીવન માટે

દશેરાના દિવસે પાન ખાવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે આમ કરવાથી લગ્ન જીવન સુખમય બને છે.

ભાગ્ય માટે

દશેરાના દિવસે નીલકંઠના દર્શન કરવા શુભ માનવામાં આવે છે.કહેવાય છે કે આમ કરવાથી ભાગ્યનો સાથ મળે છે.

નકારાત્મકતા દૂર કરવા માટે

ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે દશેરના દિવસે રાવણ દહનની રખીયાને સરસવના તેલમાં મિક્સ કરીને ઘરની દરેક દિશામાં છાંટવી જોઈએ.

Share Now