નર્મદા ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વધુ એક “લેટર બોંબ”, જુઓ આ વખતે શું છે માંગણી

127

ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો રોકવા માટે કાયદો બન્યાં બાદ હવે ગુજરાતમાં પણ આવો કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે.ડભોઇના ભાજપના ધારાસભ્ય બાદ હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ કાયદો બનાવવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

ભરૂચના સિનિયર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં “લવ જેહાદ”નો કડક કાયદો બનાવવા CM વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. મનસુખ વસાવાએ “લવ જેહાદ” મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.ભાજપ સાંસદના લવ જેહાદને લઈને કરેલા આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યુ છે.હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ “લવ જેહાદ” બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવસીઓની છોકરીઓના કાઠિયાવાડ,મહેસાણા,અમદાવાદ સહિતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી,લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લેતા હોવાનું તથા આ કમિશનમાં યુવતીના માતા-પિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે.આ કાર્યો કરવા માટે પણ એક પ્રકારે મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે.

ભાજપ સાંસદે જણાવ્યું હતું કે,છેલ્લા 5 વર્ષથી સતત “લવ જેહાદ” અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવા મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું,પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં હલ નથી આવવાનો.એના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.ગરીબ આદિવાસી દિકરીઓને આજની તારીખમાં પણ અનેક વિસ્તારોમાં પ્રલોભન આપી આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે, આના પર પણ પ્રતિબંધ લગાવવા કાયદામાં જોગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે.

Share Now