‘વૈષ્ણોદેવીમેં ફસે લોગોમે ૧૪૫ કોરોના પીડિત’ ફેસબુક પોસ્ટ મુકનારની વડોદરામાં ધરપકડ

246

ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોગલવાડાના મોહમદ અબરાર શેખની સામે ગુનો રજીસ્ટર્ડ કર્યો

વડોદરા

કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે સોશ્યલ મિડીયા પર અનેક પ્રકારના અફવાઓ ફેલાવતા સંદેશનો પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે. આ પ્રક્રિયાને અટકાવવા માટે પોલીસ તરફથી અનેક સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં આ પ્રકારના બોગસ મેસેજ ચાલુ રાખવામા આવતાં આખરે વડોદરા પોલીસે આક્રમક બનીને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૪ મુજબ ગુનો દાખલ કરીને એક શખ્શને પકડી પાડ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફેસબુક અબરાર શેખના નામના યુઝર આઇડી પર એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં ‘બ્રેકિંગ ન્યુઝ – વૈષ્ણોવેદી મંદિર મે ફસે લોગો કે ટેસ્ટ મે મિલે ૪૦૦ લોગો મે ૧૪૫ કોરોના પીડિત અભી ભી ટેસ્ટ જારી હૈ’ એવા સાવ ખોટા મેસેજનો ઉલ્લેખ કર્યો હતો. આવી અણધારી આફતના સમયમાં લોકોમાં ગભરાહટનો માહોલ ઉભો કરવાના આચરવામાં આવેલા કૃત્ય અંગેની વડોદરા ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં તાત્કાલીક આ પોસ્ટ મુકનારને શોધી કાઢીને તેની ધરપકડ કરી હતી.

વડોદરાના વાડી વિસ્તારમાં મોગલવાડા તાલીમુન નિસ્વા મદ્રેસા સામે રહેતા મોહમંદ અબરાર મહમંદ હુસૈન શેખ (ઉ.૩૫)ની સામે ગુનો દાખલ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી.

Share Now