નરેન્દ્ર મોદી અને મગર વચ્ચે વર્ષેાજૂનો નાતો ! કેવડિયામાં સી-પ્લેન જે જળાશયમાં ઉતરશે ત્યાં મગરોનું સામ્રાજ્ય , ૧૨૮ પકડાયા

317

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મગર વચ્ચે વર્ષેાજૂનો નાતો લાગે છે, કેમ કે બાળપણમાં વડનગરના શર્મિા તળાવમાંથી મગરનું બચ્ચું પકડીને ઘરે લઇ આવ્યા હતા તેમ તેઓ ૩૧મી ઓકટોબરે જ્યાં જવાના છે ત્યાં કેવડિયના જળાશયમાં મગરનું સામ્રાજ્ય છે.આ જળાશયમાં વડાપ્રધાન મોદીનું સી-પ્લેન ઉતરવાનું છે.

આગામી ૩૧મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.તેઓ અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધી સી-પ્લેન મારફતે સફર કરવાના છે.અમદાવાદના સાબરમતીના કાંઠે વોટર એરોડ્રામ તો બનાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સાથે કેવડિયામાં યાં સી-પ્લેન ઉતરવાનું છે ત્યાં પણ વોટર એરોડ્રામ બની રહ્યું છે.

કેવડિયામાં જે વોટર એરોડ્રામ બને છે ત્યાં મગરોની સંખ્યા વધારે હોવાથી ધીમે ધીમે આ મગરોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં ૧૨૮ જેટલા મગરો પકડીને એનજીઓને સ્થળાંતર માટે આપી દેવામાં આવ્યા છે.મોદી સરદાર પટેલ જન્મયંતિએ ગુજરાતમાં પહેલી સી-પ્લેન સુવિધાનું ઉદ્દધાટન કરવાના છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે સી-પ્લેનનો પ્રયોગ કર્યેા હતો.
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડીને કેવડિયાના જળાશયમાં જશે.નર્મદા ડેમની નજીકમાં જળાળય-૩ને વોટર એરોડ્રામ તરીકે પસદં કરવામાં આવ્યું છે.જો કે આ જળાશયમાં મગરો દેખાઇ રહ્યાં છે તેથી તેમને રેસ્કયુ કરવા પડે તેમ છે.નર્મદા નિગમના એમડી ખુદ આ એરોડ્રામનું નિરીક્ષણ કરી રહ્યાં છે.આ જળાશયમાંથી ખસેડવામાં આવનારા મગરોને વન વિભાગ અને એનજીઓ દ્રારા બીજી જગ્યાએ લઇ જવાશે.

સૂત્રો કહે છે કે આ મગરોને સરદાર સરોવર જેમ અને ગીર ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવશે.અંદાજ છે કે આ જળાશયમાં કે યાં વોટર એરોડ્રામ બની રહ્યું છે ત્યાં ૨૫૦થી વધુ મગરોનો વસવાટ છે.આમ પણ નર્મદા નદીમાં મગર વર્ષેાથી રહેતા જોવા મળે છે.નદીનો પટ સુકાઇ જતાં મગરોનું સ્થાન જળાશયોમાં ખેંચાયું છે.હાલ રીવરફ્રન્ટ અને કેવડિયાના જળાશયમાં જેટી બનાવવામાં આવી રહી છે

Share Now