અમિતભાઇ શાહે રૂપાલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત બાદ વરદાયિની માતાના કર્યા દર્શન

49

ગાંધીનગર : કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા.આજે સવારે તે બોડકદેવ વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા.
ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે વેક્સીન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે.રસીકરણ સેન્ટર પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકારના મોટા રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.રાજ્ય સરકાર આ અભિયાન સોમવારથી શરૂ કરી રહી છે.રૂપાલ વેક્સીનેશન સેન્ટર ઉપર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે.ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતા મંદિરે દર્શન કર્યા હતા.

Amit Shah એ પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી

કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પંડિત દીન દયાળ ઉપાધ્યાય સેન્ટરમાં રસીકરણ કેંદ્રના નિરિક્ષણ કર્યું હતું અને મોટાપાયે રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

નિશુલ્ક વેક્સીન અભિયાનને ગણાવ્યો મોટો નિર્ણય

ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે ‘આટલી મોટી વસ્તીવાળા દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિશુલ્ક વેક્સીન લગાવવી એક મોટો નિર્ણય છે.આજે યોગ દિવસના દિવસે તેની દેશભરમાં શરૂઆત થઇ રહી છે.હવે અમે ખૂબ ઝડપથી લગભગ તમામને રસી આપવાના ટાર્ગેટની આસપાસ પહોંચી જઇશું.

અમિત શાહએ કહ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કોરોના વિરૂદ્ધ લડાઇના એક નવા તબક્કાની શરૂઆત થઇ રહી છે.પીએમ મોદી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો કે 21 જૂનથી 18 વર્ષ અથવા તેની વધુની ઉંમરના લોકોને કેંદ્ર સરકાર દ્વારા મફતમાં રસી લગાવવામાં આવશે.તેના હેઠળ રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે.

કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે ‘કોરોના વિરૂદ્ધ વેક્સીન મોટું હથિયાર છે અને લોકો તેના માટે આગળ આવવા જોઇએ.આ સાથે જ જેમણે પહેલો ડોઝ લીધો છે તે જલદી જ બીજો ડોઝ લઇ લે.

Share Now