લોકલાગણીને ધ્યાને લઇ 15 ઑગસ્ટએ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાશે

73

– પબ્લિક ડિમાન્ડ 15 ઓગસ્ટ સોમવારે પ્રવાસીઓની માંગણી અને લાગણીને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે
– શનિ,રવિ અને સોમ વિકેન્ડમાં SOU ઉપર એક લાખ લોકો ઉમટવાનો અંદાજ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 15 ઓગસ્ટ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ સોમવારે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે.જેના બદલે મંગળવારે પતેતીએ તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 15 ઓગસ્ટ સોમવાર 75માં સ્વતંત્રતા પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે.જ્યારે 16 ઓગસ્ટ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે.

પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી,સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે,જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે પબ્લિક ડિમાન્ડ ઉપર 15 ઓગસ્ટએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે.તેનાં બદલે 16 ઓગસ્ટ મંગળવાર નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.

આગામી 15 ઓગસ્ટ સોમવારનાં રોજ સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે.તેના બદલે 16 ઓગસ્ટ મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.આ વખતે લોકોને શનિ,રવિ સાથે 15 ઓગસ્ટની 3 દિવસ વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી,તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો,નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા એક લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરીને પણ ટિકીટ બૂક કરાવી શકાશે,તેમ અધિક કલેકટર,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,કેવડીયા તરફથી જાહેરાત કરાઈ છે.

Share Now