BIG BREAKING : અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને તબિયત લથડતાં એઈમ્સમાં દાખલ કરાયો

282

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હાલત અચાનક કથળી ગઈ છે,ત્યારબાદ ગુરુવારે તેને નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં દાખલ કરવામાં આવ્યો છે.એવું કહેવામાં આવે છે કે છોટા રાજનને પેટમાં તીવ્ર દુખાવા અને અન્ય કોઈ સમસ્યાની તપાસને લીધે એઈમ્સમાં દાખલ કરવો પડ્યો હતો.અગાઉ,જ્યારે છોટા રાજન એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ બન્યો હતો, ત્યારે પણ તેને એઈમ્સમાં જ દાખલ કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,સૂત્રોએ જણાવ્યું છે કે મંગળવારે બપોરે તિહાર જેલ નંબર 2 માં બંધ છોટા રાજન આ દુખાવો થયો હતો.અચાનક તેના પેટમાં તીવ્ર દુખાવો થયો હતો.આ અંગેની જાણ સિક્યુરિટી ગાર્ડને થતાં જ જેલના ઉચ્ચ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી.છોટા રાજન સાથે વાત કર્યા પછી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા.શરૂઆતમાં જેલના ડોક્ટર જ છોટા રાજનને તપાસતા હતા. પરંતુ આ બાબતમાં સમજણ ન હોવાને કારણે તેને એઈમ્સમાં રિફર કરવાનું વધુ સારું માનવામાં આવતું હતું.આ પછી,સુરક્ષાની વચ્ચે છોટા રાજનને મંગળવારે એઈમ્સમાં દાખલ કરાયો હતો.

હાલમાં 61 વર્ષના છોટા રાજન અનેક ગુનાહિત કેસમાં તિહાર જેલમાં સજા ભોગવી રહ્યો છે.વર્ષ 2015 માં તેની ધરપકડ થઈ ત્યારથી તે તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા સેલમાં બંધ રહ્યો હતો. તેનુ ઇન્ડોનેશિયાના બાલીથી પ્રત્યાર્પણ કરાયું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, 61 વર્ષના છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખાલજે છે.તેની સામે હત્યા અને ખંડણી સહિતના 70 જેટલા કેસ નોંધાયેલા છે. 2011 માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા માટે દોષી ઠેરવ્યા બાદ છોટા રાજનને 2018 માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.સાથોસાથ મુંબઈમાં તેની વિરુદ્ધ બાકી રહેલા તમામ ગુનાહિત કેસો સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને એક વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી.

Share Now