ઈઝરાયલ : જેરુસલેમમાં યહૂદીઓના મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા

82

– હુમલાખોરને ઠાર મરાયો, ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો
– હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ

તેલ અવીવ, તા. 28, જાન્યુઆરી, 2023 : જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકો મૃત્યુ પામી ગયા છે અને 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો.જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો.ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી.ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ

શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો.ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી.ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.

અમેરિકાએ આ હુમલાની ટીકા કરી

ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો.ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે.આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી.

Share Now